+ -

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم:
«اللهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا، لَعَنَ اللهُ قَوْمًا اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ».

[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 7358]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે:
«હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 7358]

સમજુતી

નબી ﷺ એ પોતાના પાલનહાર પાસે દુઆ માંગી કે તેમની કબરને મૂર્તિ ન બનાવવામાં આવે કે લોકો તેની મહાનતાના કારણે ઈબાદત કરે, તેને સિજદો કરવા માટે કિબલો બનાવે, ફરી નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ તે લોકોને પોતાની રહમતથી દૂર કરી દીધા જેમણે પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી, કારણકે તે જગ્યાએ સિજદો કરવાથી ઈબાદત કરવા માટેનું મથક અને તેનો અકીદો(માન્યતા)ઓનો દ્વારા ખૂલતો હોય છે. (એટલા માટે રોક લગાવવામાં આવી.)

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. પયગંબરો અને નેક લોકોની કબરો પ્રત્યે શરીઅતે નક્કી કરેલ હદ વટાવવી, અર્થાત્ તેમને અલ્લાહ સિવાય જેની ઈબાદત કરવામાં આવે છે તેમાં શામેલ કરવા બરાબર છે, બસ આપણા માટે જરૂરી છે કે આપણે શિર્ક તરફ લઈ જતાં દરેક માર્ગથી બચવું જોઈએ.
  2. કબરોની મહાનતાના કારણે તેની મુલાકાત લેવી અને ત્યાં જઈ ઈબાદત કરવી જાઈઝ (યોગ્ય) નથી ભલે ને તે વ્યક્તિ કેટલો પણ અલ્લાહ તઆલાની નજીક હોય.
  3. કબરો પર મસ્જિદ બનાવવી હરામ છે.
  4. કબરો પર નમાઝ પઢવી હરામ છે, ભલે ને ત્યાં મસ્જિદ બનાવવામાં ન આવી હોય, પરંતુ એવા જનાઝાની નમાઝ પઢી શકાય છે, જે વ્યક્તિની પઢવામાં ન આવી હોઇ.
વધુ