+ -

عن جابر بن عبد الله رضي الله عنهما قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ دَخَلَ النَّارَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 93]
المزيــد ...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. થી રિવાયત છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 93]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહિ હોય, તો તેનું ઠેકાણું જન્નત છે, ભલેને તેને તેના અમુક ગુનાહોની સજા પણ કેમ ન આપવામાં આવે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હતો તો તેનું ઠેકાણું હંમેશા માટે જહન્નમ હશે.

હદીષથી મળતા ફાયદા

  1. તૌહીદની મહત્વતા કે તે હંમેશા માટે જહન્નમથી બચવાનું કારણ છે.
  2. જન્નત અને જહન્નમ બંને બંદાથી નજીક છે અને તેમની અને બંદાની વચ્ચે ફક્ત મોત છે.
  3. આ હદીષમાં દરેક નાના અને મોટા શિર્કથી સચેત કરવામાં આવ્યા છે, કારણકે તે જહન્નમ તરફ લઈ જાય છે.
  4. કાર્યોનો આધાર તેના અંતિમ સ્થિતિ પર આધારિત છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy الفولانية Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch اليونانية الأكانية الأوزبكية الأوكرانية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ