عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે, કે જહન્નમને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે જે માનવીને સારી લાગે છે, જેમકે હરામ કાર્યો કરવા, અને અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ ન કરવું; બસ જે વ્યક્તિ પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરશે, તે જહન્નમમાં દાખલ થશે, જ્યારે કે જન્નતને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે, જે માનવીને પસંદ નથી હોતી, જેમકે સતત અલ્લાહના આદેશોનું પાલન કરતા રહેવું, હરામ કાર્યોથી બચીને રહેવું, અને તેના માર્ગમાં આવનારી પરેશાનીઓનો સામનો કરવો, જ્યારે માનવી પોતાના નફસ સાથે લડીને આ કાર્યો કરે છે તો તે જન્નતનો હકદાર બને છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દ્વારા જાણ્યા મળ્યું કે માનવી મનેચ્છાઓમાં એટલા માટે પણ સપડાઈ જાય છે, કે શૈતાન બુરાઈને સુંદર બનાવીને તેની સામે રજૂ કરે છે, જેના કારણે માનવી તેને સારું સમજી તેની સમક્ષ જુકી જાય છે.
  2. આ હદીષમાં હરામ મનેચ્છાઓ પાછળ પડવાથી રોક્યા છે, અને તે જહન્નમનો માર્ગ છે, અને આ હદીષમાં અપ્રિય વસ્તુઓને સહન કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કારણકે તે જન્નતનો માર્ગ છે.
  3. આ હદીષમાં પોતાના નફસ સાથે લડવા, અને વધુમાં વધુ પ્રમાણમાં ઈબાદત સાથે જોડાયેલી અપ્રિય વસ્તુઓને સહન કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
વધુ