عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ وَعَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنهما عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«مَا يُصِيبُ الْمُسْلِمَ مِنْ نَصَبٍ وَلَا وَصَبٍ وَلَا هَمٍّ وَلَا حُزْنٍ وَلَا أَذًى وَلَا غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُهَا إِلَّا كَفَّرَ اللهُ بِهَا مِنْ خَطَايَاهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ જણાવ્યું કે એક મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચે, જેવી કે બીમારી, ચિંતા, ગમ, મુસીબત, આફત, ડર અને તંગી અહીં સુધી કે જો તેનાપલ પગમાં કાંટો પણ વાગે તો આ દરેક તકલીફ અને મુસીબત તેના ગુનાહોના કફ્ફારો બની જાય છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મોમિન બંદાઓ પર અલ્લાહની કૃપા અને તેની રહેમતનું વર્ણન કે તેને સામાન્ય તકલીફ પહોંચવા પર તેના ગુનાહો માફ કરી દે છે.
  2. મુસલમાન માટે જરૂરી છે કે તે તકલીફના સમયે અલ્લાહ પાસે સવાબની આશા રાખે, અને તે દરેક નાની મોટી તકલીફો પર સબર કરે, જેથી તેના દરજ્જામાં વધારો થાય અને તેના ગુનાહો માફ થાય.
વધુ