عن عائشة رضي الله عنها قالت: قال النبي صلى الله عليه وسلم:
«لَا تَسُبُّوا الْأَمْوَاتَ، فَإِنَّهُمْ قَدْ أَفْضَوْا إِلَى مَا قَدَّمُوا».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ મૃતકોને ગાળો આપવી અથવા અપશબ્દો કહેવા અને તેમની ઇઝ્ઝત સાથે રમત કરવી, હરામ કર્યું છે, આ ખરાબ અખલાક (ખરાબ વર્તન) ના કારણે છે, તેમણે જે કંઈ આગળ અમલ મોકલ્યા, સારા અમલ કે ખરાબ અમલ તે તેમને મળી ગયા, એટલા માટે તેમને આપવામાં આવેલી ગાળો નથી પહોંચતી, પરંતુ તેના દ્વારા જીવિત લોકોને જ નુકસાન પહોંચે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે મૃતકને અપશબ્દો કહેવા હરામ છે.
  2. જીવિતોના હિતને ધ્યાનમાં રાખી, મૃતકોનું અપમાન કરવાનું છોડી દેવું જોઈએ, અને ઝઘડા અને દ્વેષથી સમાજની સલામતી જાળવી રાખવી જોઈએ.
  3. આ રોક એટલા માટે લગાવવામાં આવી છે, તેની પાછળ હિકમત એ છે કે તેમણે જે કરેલું તે તેમને મળી ગયું, તેમને તમારા અપ-શબ્દો કઈ ફાયદો પહોંચાડશે નહીં, પરંતુ તેમના જીવિત સંબંધીઓને તકલીફ થઈ શકે છે.
  4. માણસે વ્યર્થ વાતો કરવાથી બચવું જોઈએ, જેનો કોઈ ફાયદો થતો ન હોય.
વધુ