عَنْ عَبْدِ اللهِ بنِ مَسْعُودٍ رضي الله عنه قال:
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ» قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «وَأَنْ تَقْتُلَ وَلَدَكَ؛ تَخَافُ أَنْ يَطْعَمَ مَعَكَ» قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય
તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી ﷺને સૌથી મોટા ગુનાહ વિશે સવાલ કરવામાં આવ્યો તો નબી ﷺ એ કહ્યું: સૌથી મોટો ગુનોહ, શિર્કે અકબર, તે એ કે તમે અલ્લાહને તેની ઉલૂહિય્યતમાં (ઇબાદતને લાયક હોવામાં) અથવા તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં) અથવા તેના પવિત્ર નામો અને ગુણોમાં અન્યને ભાગીદાર અથવા તેના બરાબર ઠેહરાવો, આ સૌથી મોટો ગુનોહ છે, જેને અલ્લાહ સાચી તૌબા વગર માફ નહીં કરે, જે વ્યક્તિ આ ગુનોહ સાથે મૃત્યુ પામશે તે હમેંશા માટે જહન્નમમાં રહેશે. ત્યારબાદ પોતાના સંતાનને એ ભયથી કતલ કરવી કે તે તમારી સાથે બેસીને ભોજન કરશે, પરંતુ જો કતલ કરનાર વ્યક્તિનો સંબંધ હત્યારા સાથે હોય તો તેનું પાપ મોટું છે, અને જ્યારે હત્યારાનો ઉદ્દેશ ડર હતો કે હત્યા કરાયેલ વ્યક્તિ તેની સાથે અલ્લાહએ આપેલ રોજીમાં ભાગ લેશે ત્યારે તેનું પાપ પણ મોટું છે. ત્યારબાદ પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો, તેને ધોકો આપી, આધીન કરી તેની સાથે વ્યભિચાર કરવો. વ્યભિચાર હરામ છે, પરંતુ આ ગુનાહની ભયાનકતા ત્યારે વધી જાય છે, જ્યારે પોતાની પડોશન સાથે સંબંધ બાંધવામાં આવે, જો કે શરીઅત તો ઉપકાર કરવાનો, ભલાઈ કરવાનો અને સારો વ્યવહાર કરવાનો આદેશ આપે છે.