عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم كان يقول:
«الصَّلَوَاتُ الْخَمْسُ، وَالْجُمُعَةُ إِلَى الْجُمُعَةِ، وَرَمَضَانُ إِلَى رَمَضَانَ، مُكَفِّرَاتٌ مَا بَيْنَهُنَّ إِذَا اجْتَنَبَ الْكَبَائِرَ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ આપણને જણાવે છે કે દિવસ અને રાત્રિ દરમિયાન અદા કરવામાં આવતી પાંચ ફરજિયાત નમાઝ, સપ્તાહમાં એક વખત શુક્રવારની નમાઝ અને વર્ષમાં એક વખત રખાયેલા રમઝાનના રોઝા, આ સમયગાળા દરમિયાન કરેલા નાના પાપો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે, શરત એ છે કે મોટા પાપોથી બચવામાં આવે, વ્યભિચાર અને દારૂ પીવા જેવા મોટા પાપો, તો તે તૌબા વગર માફ કરવામાં નથી આવતા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ગુનાહોમાં કેટલાક નાના ગુનાહ હોય છે અને કેટલાક મોટા.
  2. નાના ગુનાહ મોટા ગુનાહથી બચવાની શરતે માફ કરી દેવામાં આવે છે.
  3. મોટા ગુનાહો તે ગુનાહો છે, જેના માટે શરીઅતે અમુક સજા નક્કી કરી હોય, જેના કારણે આખિરતમાં સજા અને અલ્લાહની નારાજગીની વાત વર્ણન કરવામાં આવી હોય, જે વ્યક્તિ તેને કરે છે તેને ધમકાવવામાં આવ્યો હોય અને તેના પર લઅનત કરવામાં આવી હોય, જેમ કે વ્યભિચાર અને મદ્યપાન વગેરે.
વધુ