عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم:
«السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ، مَرْضَاةٌ لِلرَّبِّ».

[صحيح] - [رواه النسائي وأحمد] - [مسند أحمد: 24203]
المزيــد ...

ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 24203]

સમજુતી

નબી ﷺ એ કહ્યું કે પિલુડીના ઝાડ વગેરેની ડાળી વડે દાંત સાફ કરવાથી મોઢું ગંદકી અને દુર્ગંધથી સાફ થાય છે. અને તે પણ જણાવ્યું કે બંદાને અલ્લાહની પ્રસંનતા પ્રાપ્ત થાય છે; કારણ કે તે અલ્લાહના આદેશનું પાલન અને બીજું એ કે તે સ્વચ્છતાનું કારણ છે, જે અલ્લાહને પસંદ છે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દ્વારા મિસ્વાક (દાંતણ) કરવાની મહત્વતા અને નબી ﷺ દ્વારા પોતાની ઉમ્મતને વધુમાં વધુ મિસ્વાક કરવા પ્રત્યે પ્રોત્સાહન વર્ણન કરવામાં આવ્યું છે.
  2. શ્રેષ્ઠ એ છે કે મિસ્વાક (દાંતણ) પીળુંડીના વૃક્ષની લાકડી વડે કરવું જોઈએ, તેના બદલે બ્રશ અને ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (67)
વધુ