عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم:
«السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ، مَرْضَاةٌ لِلرَّبِّ».

[صحيح] - [رواه النسائي وأحمد]
المزيــد ...

ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - [An-Nasaa’i]

સમજુતી

નબી ﷺ એ કહ્યું કે પિલુડીના ઝાડ વગેરેની ડાળી વડે દાંત સાફ કરવાથી મોઢું ગંદકી અને દુર્ગંધથી સાફ થાય છે. અને તે પણ જણાવ્યું કે બંદાને અલ્લાહની પ્રસંનતા પ્રાપ્ત થાય છે; કારણ કે તે અલ્લાહના આદેશનું પાલન અને બીજું એ કે તે સ્વચ્છતાનું કારણ છે, જે અલ્લાહને પસંદ છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દ્વારા મિસ્વાક (દાંતણ) કરવાની મહત્વતા અને નબી ﷺ દ્વારા પોતાની ઉમ્મતને વધુમાં વધુ મિસ્વાક કરવા પ્રત્યે પ્રોત્સાહન વર્ણન કરવામાં આવ્યું છે.
  2. શ્રેષ્ઠ એ છે કે મિસ્વાક (દાંતણ) પીળુંડીના વૃક્ષની લાકડી વડે કરવું જોઈએ, તેના બદલે બ્રશ અને ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.