+ -

عَنْ حُذَيْفَةَ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَامَ مِنَ اللَّيْلِ يَشُوصُ فَاهُ بِالسِّوَاكِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 245]
المزيــد ...

હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 245]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વખત મિસ્વાક કરતા અને તેનો આદેશ આપતા હતા, કેટલાક સમયે મિસ્વાક કરવા પર જોર આપતા, જેમકે, તહજ્જુદની નમાઝ પઢવા માટે ઉઠતી વખતે, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ દાતણ કરતાં અને ખૂબ સારી રીતે મોઢું સાફ કરતાં.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. રાત્રે સૂઈને ઉઠી મિસ્વાક કરવા પર શરીઅતે જોર આપ્યું છે, એટલા માટે કે ઊંઘના કારણે મોઢામાં દુર્ગંધ વાંસ આવતી હોય છે, અને મિસ્વાક કરવાથી તે દુર્ગંધ દૂર થઈ જાય છે.
  2. પાછળ વર્ણન કરેલ અર્થના કારણે જ્યારે મોઢામાં દરેક પ્રકારની ખરાબ વસ્તુઓ દ્વારા ફેરફાર થાય ત્યારે મિસ્વાક (દાતણ) કરવું જરૂરી છે.
  3. સામાન્ય રીતે સ્વચ્છતાની કાયદેસરતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતનો એક ભાગ છે, અને ઉત્કૃષ્ટ શિષ્ટાચાર માંથી છે.
  4. સંપૂર્ણ મોઢામાં મિસ્વાક કરવું શામેલ છે, દાંતોમાં, પેઢાંમાં તેમજ જબાનમાં.
  5. મિસ્વાકએ ઊદનું વૃક્ષ અથવા અન્ય ઝાડમાંથી કાપવામાં આવેલી લાકડી છે, જેનો ઉપયોગ મોં અને દાંતને સાફ કરવા અને દુર્ગધ દૂર કરવા માટે થાય છે.
વધુ