عن جابر بن عبد الله رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ».

[صحيح] - [رواه البخاري من حديث جابر، ورواه مسلم من حديث حذيفة] - [صحيح البخاري: 6021]
المزيــد ...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«દરેક નેક કામ સદકો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6021]

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે દરેક નેક કામ જેનાથી બીજાને ફાયદો પહોંચે, તેની વાતથી, તેના અમલથી તો તે તેના માટે સદકો ગણવામાં આવશે, અને તેના માટે તેને બદલો અને સવાબ મળશે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ પુષ્ટિ કરે છે કે સદકો ફક્ત માલનો એક ભાગ કાઢી તેના વડે કરવામાં આવતો સદકાનું નામ નથી, પરંતુ માનવીએ કરેલું દરેક નેક કામ અને તેણે કહેલી દરેક સારી વાત જેને બીજા સુધી પહોંચાડવામાં આવે, તે દરેક શામેલ છે.
  2. આ હદીષમાં ભલાઈના કામ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેનાથી બીજાને ફાયદો થાય.
  3. નેકીનું કોઈ કામ તુચ્છ સમજવામાં ન આવે, ભલેને તે નાનું જ કેમ ન હોય.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (67)
વધુ