عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«لَيْسَ الْوَاصِلُ بِالْمُكَافِئِ، وَلَكِنِ الْوَاصِلُ الَّذِي إِذَا قُطِعَتْ رَحِمُهُ وَصَلَهَا».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ:
«સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કે જે વ્યક્તિ સગા સંબંધીઓના સારા વ્યવહાર કરવા પર, સારો વ્યવહાર કરે તે એક આદર્શ વ્યક્તિ નથી, તે ઉપકારના બદલામાં ઉપકાર કરી રહ્યો છે. પરંતુ આ બાબતે આદર્શ વ્યક્તિ તે છે, જે બીજા લોકો તરફથી સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જાળવી રાખે, અને તેના સગા વહાલા તેની સાથે ખરાબ વર્તન કરે તો તે તેમની સાથે સારો વ્યવહાર કરે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅતની દ્રષ્ટિ પ્રમાણે સંબંધો જાળવી રાખવાનું કાર્ય ત્યારે જ યોગ્ય ગણાશે, જ્યારે સંબંધ તોડનાર સાથે પણ સંબંધ જોડવામાં આવે,અત્યાચાર કરવાવાળાઓને માફ કરી દેવામાં આવે, અને વંચિત રાખવાવાળાઓને આપવામાં આવે, તે સંબંધ જાળવી રાખ્યો ન કહેવાય જે બદલા રૂપે હોઇ.
  2. સંબંધ જાળવી રાખવાનો અર્થ એ છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી માલ, દુઆ, નેકી કરવાનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું.
વધુ