+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ يَرْضَى لَكُمْ ثَلَاثًا، وَيَكْرَهُ لَكُمْ ثَلَاثًا، فَيَرْضَى لَكُمْ: أَنْ تَعْبُدُوهُ، وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا، وَأَنْ تَعْتَصِمُوا بِحَبْلِ اللهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا، وَيَكْرَهُ لَكُمْ: قِيلَ وَقَالَ، وَكَثْرَةَ السُّؤَالِ، وَإِضَاعَةِ الْمَالِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1715]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1715]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાના ત્રણ ગુણોને પસંદ કરે છે અને તેમના ત્રણ ગુણોને નાપસંદ કરે છે, જે ગુણો પસંદ કરે છે તેમાંથી: તેને એકલો માની ફક્ત તેની જ બંદગી કરવામાં આવે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરાવવામાં ન આવે, અને અલ્લાહના કરાર, કુઆન અને તેના પયગંબરની સુન્નતને અપનાવવામાં આવે, અને મુસલમાનોના સમુદાયથી અલગ થવામાં ન આવે. અને તે નાપસંદ કરે છે કે તમે નકામી વાતો, જેની કોઈ જરૂર ન હોય, જે થયું ન હોય તેના વિષે સવાલ કરવા, અથવા લોકો પાસે જરૂરિયાત વિષે પૈસા માંગવા, અને માલનો બગાડ કરવો, તેને અયોગ્ય રીતે ખર્ચ કરવો, અને તેને નુકસાન પહોંચાડવું.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ પોતાના બંદાની ઈબાદતમાં નિખાલસતાને પસંદ કરે છે, અને કુફ્રને નાપસંદ કરે છે.
  2. આ હદીષમાં અલ્લાહ તઆલાના દોરડાને વળગી રહેવા અને તેને પકડી રાખવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે; કારણ કે તે એકતા અને સંવાદિતા તરફ દોરી જાય છે.
  3. આ હદીષમાં સમુદાય સાથે જોડાયેલા રહેવા પર ઉભારવામાં આવ્યા છે, તેના પર અમલ કરવા અને તેની સફોને જોડેલી રાખવાનો આદેશ આપ્યો છે અને તેનો વિરોધ કરવાથી રોક્યા છે, જે વિભાજન અને મતભેદ તરફ દોરી જાય છે.
  4. નકામી બાબતો વિશે વધુ પડતી વાતો કરવા પર પ્રતિબંધ; કારણ કે જો તે માન્ય હોય, તો તે સમયનો બગાડ કરે છે, અને જો તે પ્રતિબંધિત હોય, તો તે પાપોને વધારે છે.
  5. લોકો વિશે ગપસપમાં જોડાવાની, તેમની સ્થિતિ પર નજર રાખવાની અને તેમના શબ્દો અને કાર્યોની ગણતરી કરવાની પ્રતિબંધતાનું વર્ણન.
  6. લોકો પાસે પૈસાની વધુ પડતી માંગણી પર પ્રતિબંધ.
  7. પૈસાનો બગાડ કરવો હરામ છે, તેને લાભદાયક બાબતોમાં ઉપયોગમાં લઈ તેને સાચવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ