عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ يَرْضَى لَكُمْ ثَلَاثًا، وَيَكْرَهُ لَكُمْ ثَلَاثًا، فَيَرْضَى لَكُمْ: أَنْ تَعْبُدُوهُ، وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا، وَأَنْ تَعْتَصِمُوا بِحَبْلِ اللهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا، وَيَكْرَهُ لَكُمْ: قِيلَ وَقَالَ، وَكَثْرَةَ السُّؤَالِ، وَإِضَاعَةِ الْمَالِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1715]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે
નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1715]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાના ત્રણ ગુણોને પસંદ કરે છે અને તેમના ત્રણ ગુણોને નાપસંદ કરે છે, જે ગુણો પસંદ કરે છે તેમાંથી: તેને એકલો માની ફક્ત તેની જ બંદગી કરવામાં આવે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરાવવામાં ન આવે, અને અલ્લાહના કરાર, કુઆન અને તેના પયગંબરની સુન્નતને અપનાવવામાં આવે, અને મુસલમાનોના સમુદાયથી અલગ થવામાં ન આવે. અને તે નાપસંદ કરે છે કે તમે નકામી વાતો, જેની કોઈ જરૂર ન હોય, જે થયું ન હોય તેના વિષે સવાલ કરવા, અથવા લોકો પાસે જરૂરિયાત વિષે પૈસા માંગવા, અને માલનો બગાડ કરવો, તેને અયોગ્ય રીતે ખર્ચ કરવો, અને તેને નુકસાન પહોંચાડવું.