عن عبد الله بن مسعود قال: قال رسول الله صلى الله عليه وسلم:
«هلك المُتَنَطِّعُون» قالها ثلاثًا.

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા» નબી ﷺ એ આ વાત ત્રણ વખત કહી.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ હિદાયત અને માર્ગદર્શન વિના ઉગ્રવાદીઓની નિરાશા અને હતાશા વિષે જણાવ્યું, કે તેઓએ પોતાના દીની અને દુન્યવી વાતો અને કાર્યોમાં શરીઅતની હદ વટાવી દીધી, જે શરીઅત નબી ﷺ લઈને આવ્યા હતા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દરેક કાર્યોમાં સખ્તી કરવી હરામ છે, અને તેનાથી બચવું જોઈએ ખાસ કરીને ઈબાદત અને નેક લોકોની પ્રસંશા બાબતે.
  2. ઈબાદત અને અન્ય બાબતોમાં જે સૌથી શ્રેષ્ઠ છે તેને શોધવું પ્રશંસનીય કાર્ય છે, પરંતુ તેમાં પણ શરીઅતનું અનુસરણ કરવું જરૂરી છે.
  3. કોઇ પણ મહત્વ પૂર્ણ વાતમાં ભાર મુકવો જાઈઝ છે; કારણકે નબી ﷺ એ એક જ વાત ત્રણ વખત વર્ણન કરી.
  4. ઈસ્લામ એક સરળ અને ઉદાર દીન છે.
વધુ