عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«رَحِمَ اللهُ رَجُلًا سَمْحًا إِذَا بَاعَ، وَإِذَا اشْتَرَى، وَإِذَا اقْتَضَى».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ:
«અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ તે દરેક લોકો માટે દુઆ કરી જે વેચાણ કરતી વખતે ઉદારતા અપનાવે; જેથી તે ખરીદી કરનાર વ્યક્તિ સાથે સોદાબાજીમાં સખ્તી ન કરે અને તેની સાથે સારો વ્યવહાર કરે, એવી જ રીતે ખરીદી કરતી વખતે પણ તે ઉદારતા ભર્યો વ્યવહાર કરે, અને સામાનનો ભાવ ઓછો ન આપે અને ઘટાડે નહિ એવી જ રીતે દેવું વસૂલ કરતી વખતે પણ ઉદારતા અપનાવે, અને કોઈ જરૂરતમંદ અને મોહતાજ પર સખ્તી ન કરે, નરમી સાથે વાતચીત કરે, અને જો તે અસમર્થ હોય તો તેને થોડો વધુ સમય આપે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅતનો એક હેતુ એવા સારા કાર્યો શીખવાડવાનો છે, જેથી લોકો એકબીજા સાથે સંબંધો સારા રાખે.
  2. આ હદીષમાં લોકો સાથે વ્યવહારમાં, જેમકે લેવડ દેવડ કરતી વખતે સારો વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
વધુ