عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું:
«શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે સાચી શક્તિ શક્તિશાળી શરીરનું હોવું નથી, અથવા તે શક્તિશાળી નથી, જે લડાઈમાં બીજાને પછાડી દે, પરંતુ સાચી શક્તિ તો તે છે, જે ગુસ્સાના સમયે પોતાના નફસ પર મહેનત કરી તેના પર કાબુ મેળવી લે, કારણકે આ વસ્તુ તેને પોતાના નફસ પર નિયંત્રણ અને શેતાન પર વિજય મેળવવાની દલીલ છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ગુસ્સાના સમયે નફસ પર કાબુ અને સહનશીલતાની મહત્ત્વતા, અને તે સારા કાર્યો માંથી એક છે, જેના પર ઇસ્લામ પ્રોત્સાહિત કરે છે.
  2. ગુસ્સાના સમયે પોતાના નફસને કાબુ રાખવો દુષ્મન સાથે લડાઈ કરવાથી વધુ સખત છે.
  3. ઇસ્લામે અજ્ઞાનતાના સમયમાં શક્તિની જે વ્યાખ્યા લોકો સમજતા હતા તેને સુંદર અખલાકથી બદલી દીધી, ઇસ્લામની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે, જે પોતાના નફસ પર કાબુ મેળવી લે.
  4. ગુસ્સો કરવાથી દૂર રહેવું; કારણકે તેને દ્વારા શારીરિક અને સામાજિક નુકસાન થાય છે.
વધુ