عن أبي ذر رضي الله عنه قال: قال لي النبي صلى الله عليه وسلم:
«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ નેકીના કામો કરવા પર પ્રોત્સાહન આપ્વાની સાથે સાથે તે વાત પર પ્રોત્સાહન આપ્યું છે કે નેકીના કોઈ પણ નાનામાં નાના કામને પણ તુચ્છ ન સમજવામાં આવે, તેનું એક ઉદાહરણ એ છે કે મુલાકાત કરતી વખતે હસતાં મોઢે મળવામાં આવે, અર્થાત્ દરેલ મુસલમાનો એ આ વાત પર ધ્યાન આપવું જોઈએ; કારણકે તેના દ્વારા મોહબ્બત અને લગાવ પેદા થાય છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મોમિનો સાથે મોહબ્બત કરવાની મહત્ત્વતા અને જ્યારે મુલાકાત કરે તો હસતાં મોઢે મુલાકાત કરે.
  2. ઇસ્લામની શરીઅતની સપૂર્ણતા, અને તેમાં એવી દરેક વાતોનો સમાવેશ થાય છે, જેનાથી એક નેક મુસ્લિમ સમાજની રચના અને અલ્લાહની તૌહીદના કલમા પર લોકોને એકઠા કરવામાં આવે છે.
  3. નેકીના કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા, ભલેને તે નેકી નાની હોય.
  4. મુસલમાનમાં ખુશીનો માહોલ ઉતપન્ન કરવુ મુસ્તહબ છે, કારણકે તેમની વચ્ચે મોહબ્બત પેદા થાય છે.
વધુ