કેટેગરીઓ:
+ -

عَنِ النَّوَّاسِ بْنِ سِمْعَانَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«البِرُّ: حُسْنُ الخُلُقِ، وَالإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ». وَعَنْ وَابِصَةَ بْنِ مَعْبَدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: أَتَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «جِئْتَ تَسْأَلُ عَنِ البِرِّ وَالإِثْمِ»، قُلْتُ: نَعَمْ، قَالَ: «اسْتَفْتِ قَلْبَكَ، البِرُّ: مَا اطْمَأَنَّتْ إلَيْهِ النَّفْسُ، وَاطْمَأَنَّ إلَيْهِ القَلْبُ، وَالإِثْمُ: مَا حَاكَ فِي نَفْسِكَ وَتَرَدَّدَ فِي الصَّدْرِ، وَإِنْ أَفْتَاكَ النَّاسُ وَأَفْتَوْكَ».

[صحيح] - [الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارمي.] - [الأربعون النووية: 27]
المزيــد ...

નવ્વાસ બિન્ સિમઆન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નેકી સારા અખ્લાકને કહે છે, અને ગુનાહ, જે તમારા દિલમાં શંકા ઉભી કરે, અને તેના વિશે લોકોને જાણ થવી તમને પસંદ ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارمي] - [الأربعون النووية - 27]

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નેકી અને ગુનાહ વિશે વર્ણન કરતા કહ્યું: સૌથી મોટી નેકી સારા અખ્લાક (ચારિત્ર્ય) છે, અલ્લાહ સાથે સારા વ્યવહારનો અર્થ એ કે તેનો ડર અપનાવવામાં આવે અને સર્જન સાથે સારા વ્યવહારનો અર્થ એ છે કે તેમના તરફથી મળતી તકલીફો ને સહન કરવામાં આવે, ગુસ્સો ઓછો કરવામાં આવે, હસ્તા મોઢે મળવું જોઈએ, સારી વાત કહેવામાં આવે, સિલા રહેમી કરવામાં આવે, વાત માનવામાં આવે, સદ્ વ્યવહાર કરવામાં આવે, ભલાઈ સાથે જીવન પસાર કરવામાં આવે, સારો સંગાથ રાખવો, કહેવાનો તાંતપર્ય એ કે નેકી તે છે, જેનાથી મનમાં શાંતિ મળે. જ્યારે કે ગુનોહ એવી શંકાસ્પદ વસ્તુ છે, જે દિલમાં સંદેહ કરે, તેનાથી મનને શાંતિ ન મળે, વારંવાર તે સંદેહ દિલમાં આવતો રહે છે કે ક્યાંક આ ખોટું તો નથી, અને તેને સારા તેમજ સદાચારી લોકો સામે ઉલ્લેખ કરતા પણ કચકાતા હોય; કારણકે પ્રાકૃતિક રીતે માનવીનું મન એમ ઇચ્છતું હોય છે કે લોકો તેની સારી વાતો ને જ જાણે, જો તમે કંઈ બાબતે લોકોને જાણવા પણ નાપસંદ કરતા હોય, તો તેનો અર્થ એ છે કે તે ગુનોહ છે, ભલેને લોકો જાઈઝ હોવાનો ફતવો કેમ ન આપે, તો પણ તેમના ફતવાને કબૂલ ન કરો, જ્યાં સુધી તમારા દિલમાં શંકા થતી રહે; કારણકે ફતવાથી શંકા દૂર નથી થતી, જ્યાં સુધી ફતવો યોગ્ય હોય, અને તેને આપનાર અજ્ઞાની હોય, પરંતુ જો ફતવો શરીઅત પ્રમાણે હોય તો પૂછનારે તેને માનવું જરૂરી છે, ભલેને તેનું મન માનતું હોય કે ન માનતું હોય.

હદીષથી મળતા ફાયદા

  1. સારા અખ્લાક અપનાવવા પર ઉભારવામાં આવ્યા છે; કારણેકે સારા અખ્લાક સૌથી મોટી નેકી છે.
  2. સત્ય અને જૂઠમાં મોમિન મુંઝવણમાં નથી. હોતો, પરંતુ તે સત્યેને પોતાના દિલના પ્રકાશ વડે ઓળખે છે, અને જૂઠથી બચે છે અને તેણે નકારે છે.
  3. ગુનાહની નિશાનીઓમાંથી એ કે તેના પ્રત્યે દિલમાં શંકા ઊભી થવી, અને લોકો તેને જાણે એ વાત નાપસંદ હોવી.
  4. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં તે શંકાસ્પદ બાબતે છે, જેના વિષે લોકો ન જાણે, અને તે બાબતો જેનો શરીઅતે આદેશ આપ્યો છે અને તેની દલીલ પણ છે, તો તેણે નેકી હોવામાં કોઈ શંકા નથી અને જે બાબતોથી રોક્યા છે, તે ગુનાહ છે, અને તેના વિષે દિલમાં વિચારવાની કોઈ આવશ્યકતા નથી.
  5. આ હદીષમાં જે લોકોને સંભોધિત કરવામાં આવ્યા છે, તે લોકો છે જેમની ફિતરત સુરક્ષિત છે, તે લોકો નહીં જેઓ ન ભલાઈ વિષે જાણે છે ન બુરાઈ વિષે, સિવાય એ કે તેમણે પોતાની મનેચ્છા પ્રમાણે તેણે અપનાવી રાખી છે.
  6. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું કે હદીષમાં વર્ણવેલ નેકી શબ્દના અલગ અલગ અર્થો વર્ણન કરવામાં આવ્યા છે, એક જગ્યાએ નેકી તે છે જેના દ્વારા મન સંતુષ્ટ થઈ જાય, અને બીજી જગ્યાએ નેકી જેના દ્વારા તમને અલ્લાહની નિકટતા પ્રાપ્ત થાય, આ હદીષમાં નેકીને સારા અખ્લાક અને સારા વ્યવહાર દ્વારા વર્ણન કરવામાં આવી, અને સારા અખ્લાક: સહનશીલતા, ક્રોધનો અભાવ, હસતાં મોઢે લોકો સાથે મુલાકાત કરવી, સારી વાત કરવી, આ દરેક અર્થો નજીક નજીક જ છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ