કેટેગરીઓ:

عَنْ عَبْدِ اللَّهِ بْنِ بُسْرٍ رَضِيَ اللَّهِ عَنْهُ قَالَ: أَتَى النَّبِيَّ رَجُلٌ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ! إِنَّ شَرَائِعَ الإِسْلَامِ قَدْ كَثُرَتْ عَلَيْنَا، فَبَابٌ نَتَمَسَّكُ بِهِ جَامِعٌ؟ قَالَ:
«لاَ يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ». وفي رواية: مِنْ حَدِيثِ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُ: آخِرُ مَا فَارَقْتُ عَلَيْهِ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ قُلْتُ: أَيُّ الأَعْمَالِ خَيْرٌ وَأَقْرَبُ إِلَى اللَّهِ؟ قَالَ: «أَنْ تَمُوتَ وَلِسَانُكَ رَطْبٌ مِنْ ذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ».

[صحيح] - [رواه أحمد والترمذي وابن ماجه وابن حبان] - [الأربعون النووية: 50]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન્ બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર! ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો વ્યાપક અમલ જણાવો, જેને હું કાયમ અમલ કરતો રહું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા એક બીજી રિવાયતમાં છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી છેલ્લી મુલાકાત વખતે મેં પૂછ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, અને અલ્લાહથી નિકટ કરનાર અમલ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «તમારું મૃત્યુ એવી સ્થિતિમાં થાય કે તારી જબાન અલ્લાહનો ઝિક્ર કરતી હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه أحمد والترمذي وابن ماجه وابن حبان] - [الأربعون النووية - 50]

સમજુતી

એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.

હદીષથી મળતા ફાયદા

  1. હમેંશા અલ્લાહનો ઝિક્ર કરતા રહેવાની મહત્ત્વતા.
  2. અલ્લાહની ભવ્ય કૃપા કે સવાબ માટે સરળ સ્ત્રોત વર્ણન કર્યો.
  3. નેકી અને ભલાઈના સ્ત્રોત બંદાઓમાં તફાવત.
  4. જબાન પર અલ્લાહનો વધુ ઝિક્ર અર્થાત્ તસ્બીહ, તહમીદ, તહલીલ અને તકબીર એવી જ રીતે અન્ય અઝકાર, ઘણી નફીલ ઈબાદતોના બદલામાં છે.
  5. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સવાલ કરનારના સવાલ પર વિચાર કરી તેના પ્રમાણે જવાબ આપ્યો.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية الهولندية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية البامبارية البنجابية الماراثية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ