عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«رُبَّ أَشْعَثَ مَدْفُوعٍ بِالْأَبْوَابِ لَوْ أَقْسَمَ عَلَى اللهِ لَأَبَرَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2622]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2622]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કેટલાય લોકો એવા છે, જેમના વાળ વિખરાયેલા હોય છે, વાળમાં ધૂળ ચોંટેલી હોય છે, જેઓ ન તો તેલ લગાવે છે, ન તો તેને ધોવે છે, લોકો પાસે તેમનું કઈ પણ સ્થાન નથી હોતું અને તેમને દરવાજા પાસેથી જ ધૃતકારી દેવામાં આવે છે, અને તેમની તિરસ્કારી નકારવામાં આવે છે; પરંતુ જો તેઓ કોઈ વાત બાબતે સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમના સન્માનમાં તેને પૂરી કરે છે, અને તે નિશ્ચિત પૂરી કરશે કે તેમની વિનંતી મંજૂર કરવામાં આવી છે, આ અલ્લાહની કૃપા અને તેની પાસે તેમના સન્માનના કારણે.