عن عائشة رضي الله عنها زوج النبي صلى الله عليه وسلم عن النبي صلى الله عليه وسلم قال:
«إِنَّ الرِّفْقَ لَا يَكُونُ فِي شَيْءٍ إِلَّا زَانَهُ، وَلَا يُنْزَعُ مِنْ شَيْءٍ إِلَّا شَانَهُ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું:
«વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે વ્યક્તિની વાત અને અમલમાં નરમી, વિનમ્રતા, કરુણા હોવી તે તેના કાર્યને સુંદર, ખુબસુરત અને સંપૂર્ણતામાં વધારો કરે છે, જેના કારણે વ્યક્તિ પોતના આશેય પ્રાપ્ત કરી લે છે.
જે કાર્યમાં નરમી ન હોય તો તે તેને ખામીવાળું અને કઠણ બનાવી દે છે, જેના કારણે વ્યક્તિ પોતાનો આશય પ્રાપ્ત નથી કરતો અને કરી પણ લે તો તેને ઘણી તકલીફ પડે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં લોકો પર દયા અને નરમી કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. નરમી વ્યક્તિને સુંદર બનાવે છે, જેના કારણે તેના દરેક દીની અને દુનિયાના કાર્યમાં ભલાઈ જોવા મળે છે.
વધુ