عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ قَالَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ، حُطَّتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી દેવામાં આવે છે, ભલેને તેણે કેટલાય ગુનાહ કેમ ન કર્યા હોય, જેવા કે સમુદ્રના કિનારા પર તેના મોજા અને તેની લહેરો દ્વારા દેખાતી સફેદ ફીણ જેટલા પણ કેમ ન હોય.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ સવાબ સતત દિવસમાં સો વખત પઢનાર અથવા અંતરાલ સો વખત પઢનર બંનેને પ્રાપ્ત થશે.
  2. અત્ તસ્બીહ: અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કે તે દરેક ખામીથી પાક છે, વલ્ હમ્દ (પ્રસંશા): તેને મોહબ્બત અને મહાનતા સાથે દરેક પ્રકારથી સપૂર્ણ માનવો.
  3. આ હદીષમાં જે ગુનાહ માફ કરવાની વાત છે, તે સગીરહ (નાના) ગુનાહ છે, કબીરહ (મોટા) ગુનાહ જેના માટે તૌબા કરવી જરૂરી છે.
વધુ