عن أنس بن مالك رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«يَسِّرُوا وَلَا تُعَسِّرُوا، وَبَشِّرُوا وَلَا تُنَفِّرُوا».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ આદેશ આપ્યો છે કે લોકો માટે દરેક દીન અથવા દુનિયાના કાર્યોમાં સરળતા, આસાનીનો માર્ગ અપનાવો અને સખતીનો માર્ગ ન અપનાવો, અને આ આદેશ અલ્લાહએ હલાલ કરેલી વસ્તુઓમાં અને શરીઅત હદમાં હોવો જોઈએ.
નબી ﷺ તાકીદ કરી રહ્યા છે કે લોકોને ખુશખબર આપનાર બનો અને નફરત ફેલાવનાર ન બનો.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. એક મોમિન માટે જરૂરી છે કે તે લોકોને અલ્લાહ સાથે મોહબ્બત કરનાર બનાવે, અને તેમને ભલાઈના કામો તરફ પ્રોત્સાહિત કરે.
  2. દાઈ (ઇસ્લામનો પ્રચાર કરનાર) માટે જરૂરી છે કે તે ઇસ્લામનો પ્રચાર કરવામાં હિકમતનો માર્ગ અપનાવે.
  3. ખુશખબર ફેલાવવાથી ઇસ્લામનો પ્રચાર કરનારના દિલમાં શાંતિ અને રાહત તેમજ જે લોકોને તે દઅવત આપી રહ્યો છે, તેમનામાં પણ ખુશી અને શાંતિ ઉતપન્ન થાય છે.
  4. પ્રચારક દ્વારા કરવામાં આવતી સખતી અથવા તેની વાતોની કઠિનતા લોકોમાં નફરત, શંકા અને પાછા ફરી જવા જેવી બાબતો ઉત્પન્ન થાય છે.
  5. બંદા માટે અલ્લાહની વિશાળ રહેમત, જેણે તેમના માટે ભાઈચારા પર આધારિત દીન અને સરળ શરીઅત બનાવી.
  6. સહુલતનો આદેશ પણ તે જ છે, જે શરીઅત લઈને આવી હોય.
વધુ