عن عائشة رضي الله عنها قالت: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إنَّ المُؤْمِنَ ليُدرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ القَائِمِ».

[صحيح بشواهده] - [رواه أبو داود وأحمد]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે બંદો પોતાના સારા વ્યવહારના કારણે કાયમ રોજો રાખનાર અને તહજ્જુદની નમાઝ પઢનારનો દરજ્જો પ્રાપ્ત કરી લે છે, સારા અખ્લાક જેવા કે: નેકી ફેલાવવી, સારી વાતચીત કરવી, હસતા મોઢે મળવું, લોકોને તકલીફ આપવાથી બચવું.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામે માનવીના સારા અખ્લાક પ્રત્યે અને તેને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.
  2. સારા અખ્લાકનું મહત્વ, અહીં સુધી કે બંદો સતત રોઝા રાખનાર અને થાક્યા વગર રાત્રે તહજ્જુદ પઢનારના દરજ્જા સુધી પહોંચી જાય છે.
  3. રોજો રાખવો અને રાત્રે તહજ્જુદની નમાઝ પઢવી, બન્ને મહાન અમલ છે, જેના માટે ઘણી તકલીફ ઉઠાવવી પડતી હોય છે, જ્યારે કે સામાન્ય રીતે સારો વ્યવહાર અપનાવી બંદો તે સ્થાન અને દરજ્જા સુધી પહોંચી શકે છે.
વધુ