عن عائشة رضي الله عنها قالت:
سَأَلَ أُنَاسٌ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْكُهَّانِ، فَقَالَ لَهُمْ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَيْسُوا بِشَيْءٍ» قَالُوا: يَا رَسُولَ اللهِ، فَإِنَّهُمْ يُحَدِّثُونَ أَحْيَانًا بِالشَّيْءِ يَكُونُ حَقًّا، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «تِلْكَ الْكَلِمَةُ مِنَ الْحَقِّ يَخْطَفُهَا الْجِنِّيُّ فَيَقُرُّهَا فِي أُذُنِ وَلِيِّهِ قَرَّ الدَّجَاجَةِ، فَيَخْلِطُونَ فِيهَا أَكْثَرَ مِنْ مِائَةِ كَذْبَةٍ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે:
કેટલાક લોકોએ નબી ﷺ પાસે જ્યોતિષીઓ વિશે સવાલ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોમાં કોઈ સત્યતા નથી, લોકોએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેઓ કેટલીક વખત અમને તે વાતો જણાવે છે જે સાચી થઈ જાય છે? તો નબી ﷺ એ કહ્યું: «આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ ને તે લોકો વિશે પૂછવામાં આવ્યું, જેઓ ભવિષ્યમાં થનારી કેટલીક વાતો જણાવતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની ફિકર ન કરો, તેમની વાતોને સાચી ન માનો અને તેમના આદેશો મુજબ અમલ ન કરો.
આ સાંભળી સહાબાઓએ કહ્યું: તેમની વાતો ક્યારેક ક્યારેક સાચી થઈ જાય છે, જેવું કે તેઓ ગેબ વિશે જણાવતા હોય છે કે આ મહિનામાં આ વસ્તુ થશે, આ દિવસે આ પ્રમાણે થશે, તો તે થઈ જાય છે.
તો નબી ﷺ એ જણાવ્યું કે જિન આકાશની ખબરો માંથી અમુક વાતો જાણી લે છે, અને તે જિન પોતાના જ્યોતિષ દોસ્ત પાસે આવી તેને કાનમાં કહી દે છે, ફરી તે જ્યોતિષ જિને કહેલી વાતોમાં સો જૂઠી વાતો ઉમેરો કરે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જ્યોતિષની વાતોને સાચી માનવાથી રોક્યા છે, અને જે કઈ તેઓ કહે છે, તે જૂઠી વાત અને ઘડી કાઢેલી વાતો છે, ભલેને તે સાચું પણ કેમ ન થઈ જાય.
  2. નબી ﷺ ને પયગંબર બનાવ્યા પછી, શૈતાનોથી આકાશોને સુરક્ષિત કરી દીધા, ત્યાર બાદ તેમના માટે વહી અથવા અન્ય ખબરોને સાંભાળવું શક્ય ન રહ્યું, જો કોઈ તારાઓથી બચીને સાંભળી લે તો અલગ વાત છે.
  3. જિન માનવીઓ માંથી કેટલાક લોકોને પોતાના દોસ્ત બનાવે છે.
વધુ