عن بريدة بن الحصيب رضي الله عنه أنه قال:
بَكِّرُوا بِصَلَاةِ الْعَصْرِ، فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 553]
المزيــد ...

બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 553]

સમજુતી

નબી ﷺ એ અસરની નમાઝ તેના સમયથી જાણી જોઈને વિલંબ કરવાથી રોક્યા છે, જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે તો તેનો અમલ બાતેલ ગણાશે અને તેના અમલ વ્યર્થ થઈ જશે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં અસરની નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવામાં પર પ્રોત્સાહન આપ્યું છે.
  2. જે વ્યક્તિ અસરની નમાઝ છોડી દે, તેના માટે સખત ચેતવણી, અસરની નમાઝ ન પઢવી અન્ય નમાઝને છોડવા કરતા વધુ સખત ગણવામાં આવે છે, કારણકે અલ્લાહ તઆલાએ ખાસ દરમિયાની નમાઝ વિશે કહ્યું: (નમાઝોની પાંબદી કરો, ખાસ કરીને અસરની નમાઝની) [અલ્ બકરહ: ૨૩૮].
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (62)
વધુ