+ -

عَنْ ‌أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ افْتَقَدَ ثَابِتَ بْنَ قَيْسٍ، فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ، أَنَا أَعْلَمُ لَكَ عِلْمَهُ، فَأَتَاهُ فَوَجَدَهُ جَالِسًا فِي بَيْتِهِ، مُنَكِّسًا رَأْسَهُ، فَقَالَ: مَا شَأْنُكَ؟ فَقَالَ شَرٌّ، كَانَ يَرْفَعُ صَوْتَهُ فَوْقَ صَوْتِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَدْ حَبِطَ عَمَلُهُ، وَهُوَ مِنْ أَهْلِ النَّارِ، فَأَتَى الرَّجُلُ فَأَخْبَرَهُ أَنَّهُ قَالَ كَذَا وَكَذَا، فَرَجَعَ الْمَرَّةَ الْآخِرَةَ بِبِشَارَةٍ عَظِيمَةٍ، فَقَالَ: «اذْهَبْ إِلَيْهِ فَقُلْ لَهُ: إِنَّكَ لَسْتَ مِنْ أَهْلِ النَّارِ، وَلَكِنْ مِنْ أَهْلِ الْجَنَّةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3613]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺ ને એક દિવસ સહાબી સાબિત બિન કૈસ ન મળ્યા, તો એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તેમની ખબર કાઢી આપને જણાવું છું, તેઓ તેમના ઘરે આવ્યા તો જોયું કે તેઓ માથું ઝુકાવી બેઠા હતા, તે સહાબીએ કહ્યું: શું હાલ છે? કહ્યું કે ઠીક નથી, તેઓ નબી ﷺ ની સામે ઉંચા અવાજે વાત કરતા હતા, એટલા માટે મારા બધા અમલ વ્યર્થ થઈ ગયા, અને હું જહન્નમી લોકો માંથી બની ગયો, તે સહાબી પાછા આવ્યા અને સંપૂર્ણ મામલો નબી ﷺ ને જણાવી દીધો, બીજી વાર તે જ સહાબી તેમની પાસે એક મોટી ખુશખબર લઈ આવ્યા, અને નબી ﷺ એ કહ્યું: «તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3613]

સમજુતી

સાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ આપ ﷺ ને દેખાયા નહીં તો આપ ﷺ એ તેમના વિશે સવાલ કર્યો, એક વ્યક્તિએ કહ્યું કે હું તેમની જાણ આપને આપું છું, અને તેમના ગાયબ રહેવાનું કારણ પણ જણાવું છું, તેઓ તેમની પાસે ગયા તો જોયું કે તેઓ માથું ઝુકાવી પોતાના ઘરમાં ઉદાસ બેઠા છે, તેમણે તેમનો હાલ પૂછ્યો? સાબિતે કહ્યું કે કંઈ ઠીક નથી, કારણકે તેમનો અવાજ નબી ﷺ ની સામે બુલંદ હતો, અને અલ્લાહ તઆલાએ કહ્યું કે જો તમારો અવાજ નબીના અવાજથી ઉંચો થશે તો આ બાબત તમારા અમલને બાતેલ કરવાનું કારણ બનશે, અને તમે જહન્નમી લોકો માંથી થઈ જશો.
તે વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યા અને સંપૂર્ણ મામલાની જાણ આપી, તો નબી ﷺ એ તે વ્યક્તિને ફરી મોકલ્યા અને સાબિત માટે એક ખુશખબર પણ મોકલાવી, કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતી લોકો માંથી છે, અને તેમનો અવાજ પ્રાકૃતિક રૂપે બુલંદ હતો, અને એટલા માટે કે તેઓ અલ્લાહના રસૂલ ﷺ ના પ્રવકતા હતા અને અન્સારના પણ.

હદીષથી મળતા ફાયદા

  1. સાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા કે તેઓ જન્નતી લોકો માંથી છે.
  2. નબી ﷺ ની સહાબા પ્રત્યે ચિંતા, અને તેમના પ્રત્યે રુચિ.
  3. સહાબાઓનો ડર અને ચિંતા કે ક્યાંક પોતાના અમલ વ્યર્થ ન થઈ જાય.
  4. નબી ﷺ ની હયાતીમાં તેમની સાથે વાતચીત કરવાનો અદબ, અને તેમના મૃત્યુ પછી તેમની સુન્નત સાંભળતી વખતે અવાજ નીચો રાખવો.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy الفولانية ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ
વધુ