عَنِ الْبَرَاءِ رضي الله عنه:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ فِي الْأَنْصَارِ: «لَا يُحِبُّهُمْ إِلَّا مُؤْمِنٌ، وَلَا يُبْغِضُهُمْ إِلَّا مُنَافِقٌ، مَنْ أَحَبَّهُمْ أَحَبَّهُ اللهُ وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺએ અન્સાર વિશે કહ્યું: «તેમની સાથે ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તેમની સાથે ફક્ત એક મુનાફિક જ દ્વેષ રાખશે, જે તેમનાથી મોહબ્બત કરશે, તો અલ્લાહ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમનાથી દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેનાથી દ્વેષ રાખશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મદીનાના અન્સાર સાથે પ્રેમ રાખવો ઇમાનની સપૂર્ણતાની દલીલ છે, અને આ એટલા માટે કે તેઓએ સૌ પ્રથમ ઇસ્લામ અને નબી ﷺની મદદ કરી, અને તેઓએ મુસલમાનોને આશરો આપ્યો, અને તેઓએ પોતાનો માલ અને જાન અલ્લાહના માર્ગમાં કુરબાન કરી (બલિદાન આપ્યું), અને તેમની સાથે દ્વેષ રાખવો તે દંભ (નિફાક)ની નિશાની છે. ફરી નબી ﷺએ જણાવ્યું કે જે અન્સારના લોકો સાથે મોહબ્બત કરશે તો અલ્લાહ પણ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમની સાથે દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેની સાથે દ્વેષ રાખશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં અન્સારની મહત્ત્વતા અને ઇસ્લામમાં તેમના ઉચ્ચ સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમની સાથે મોહબ્બત સંપૂર્ણ ઇમાનની નિશાની અને તેમનાથી દ્વેષ તે નિફાકની નિશાની છે.
  2. અલ્લાહના વલીઓ સાથે મોહબ્બત અને તેમની મદદ કરવી, તે બંદા માટે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરવાનું કારણ છે.
  3. સૌ પ્રથમ ઇસ્લામ કબૂલ કરનારાઓનું મહત્વ.
વધુ