عن عائشةَ أمِّ المؤْمنِين رضي الله عنها قالت:
لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أَشَدَّ مِنْهُ تَعَاهُدًا عَلَى رَكْعَتَيِ الفَجْرِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1169]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેટલું ધ્યાન ફજરની બે નફિલ નમાઝનું રાખતા હતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝનું રાખતા ન હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1169]
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે ફજરની નમાઝ પહેલા બે સુન્નતોનું ધ્યાન રાખતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝ માટે રાખતા ન હતા.