عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لِبِلاَلٍ عِنْدَ صَلاَةِ الفَجْرِ:
«يَا بِلاَلُ، حَدِّثْنِي بِأَرْجَى عَمَلٍ عَمِلْتَهُ فِي الإِسْلاَمِ، فَإِنِّي سَمِعْتُ دَفَّ نَعْلَيْكَ بَيْنَ يَدَيَّ فِي الجَنَّةِ» قَالَ: مَا عَمِلْتُ عَمَلًا أَرْجَى عِنْدِي أَنِّي لَمْ أَتَطَهَّرْ طَهُورًا، فِي سَاعَةِ لَيْلٍ أَوْ نَهَارٍ، إِلَّا صَلَّيْتُ بِذَلِكَ الطُّهُورِ مَا كُتِبَ لِي أَنْ أُصَلِّيَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1149]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું:
«હે બિલાલ! મને તમારું ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી, જે સૌથી પુણ્યશાળી હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે વઝૂ કરી નમાઝ પઢી લઉં છું, ફર્ઝ નમાઝ સિવાય.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1149]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સપનામાં જોયું કે આપ જન્નતમાં છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બિલાલ બિન્ રબાહ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: સૌથી પુણ્યશાળી અમલ વિષે જણાવો જે તમે ઇસ્લામમાં સ્વેચ્છિક રૂપે કરો છો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સાંભળ્યો છે, જયારે તમે જન્નતમાં મારી આગળ ચાલી રહ્યા હતા. બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: સૌથી વધારે પુણ્યશાળી અમલ, જે હું કરું છું કે મેં રાત્રે અને દિવસે ક્યારે પણ વઝૂ તોડ્યું નથી અને તે વઝૂ દ્વારા મારા પાલનહાર માટે નફિલ નમાઝ પઢી, જે મારા માટે અનિવાર્ય કરવામાં આવી ન હતી.