عَنْ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَتْ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنِّي عَلَى الحَوْضِ حَتَّى أَنْظُرَ مَنْ يَرِدُ عَلَيَّ مِنْكُمْ، وَسَيُؤْخَذُ نَاسٌ دُونِي، فَأَقُولُ: يَا رَبِّ مِنِّي وَمِنْ أُمَّتِي، فَيُقَالُ: هَلْ شَعَرْتَ مَا عَمِلُوا بَعْدَكَ، وَاللَّهِ مَا بَرِحُوا يَرْجِعُونَ عَلَى أَعْقَابِهِمْ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અસ્મા બિન્તે અબુ બકર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે, મને કહેવામાં આવશે, શું તમે જાણો છો ખરા કે તમારા ગયા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પોતાની એડીઓ પર પાછા ફરશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તેમની પાસે કયામતના દિવસ એક હોઝ હશે, જેથી જોઈ લે કે તેમની કોમના કેવા લોકો તે હોઝ તરફ આવે છે, અને કેટલાક લોકોને આપ ﷺ ની નજીકથી પાછા ફેરવી દેવામાં આવશે, તો નબી ﷺ કહેશે: હે મારા પાલનહાર ! આ મારા માણસો છે અને મારી કોમના કોકો છે, તો નબી ﷺ ને કહેવામાં આવશે: શું તમે જાણો છો તમારા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પીઠ ફેરવી પાછા ફરી ગયા, આ લોકો ઇસ્લામથી ફરી ગયા, એટલા માટે આ લોકો ન તો તમારા માંથી અને ન તો તમારી કોમ માંથી છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. પોતાની કોમ માટે આપ ﷺ ની ઉદારતા અને તેમના માટે (નેઅમતોની પ્રાપ્તિ માટે) ઉત્સુકતા.
  2. નબી ﷺ ની સુન્નત અને તેમના તરીકાથી વિરોધ કરવાનું પરિણામ.
  3. આપ ﷺ એ પોતાની સુન્નત પર મજબૂતી સાથે અડગ રહેવાનો આદેશ આપ્યો છે.
વધુ