عن أبي سعيد الخدري رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَا ضَرَرَ وَلَا ضِرَارَ، مَنْ ضَارَّ ضَرَّهُ اللَّهُ، وَمَنْ شَاقَّ شَقَّ اللَّهُ عَلَيْهِ».

[صحيح بشواهده] - [رواه الدارقطني]
المزيــد ...

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે દરેક પ્રકારના નુકસાનને પોતાનાથી અને અન્ય લોકોથી પણ દૂર રાખવા જરૂરી છે, એટલા માટે કોઈના માટે જાઈઝ નથી કે તે પોતાને અને અન્ય લોકોને બરાબર નુકસાન પહોંચાડે.
નુકસાનનો બદલો નુકસાન વડે આપવો હરામ છે, એટલા માટે કે નુકસાન, તકલીફ આપવાથી દૂર નથી થતી, હા કિસાસનો મસઅલો અલગ છે, તેને ગણવામાં નહીં આવે.
પછી આપ ﷺ એ લોકોને નુકસાન પહોંચાડનાર અને લોકો પર સખતી કરનારાઓને સખત ચેતવણી આપી છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. બરાબર કરતા વધારે બદલો લેવા પર રોક.
  2. અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ નો આદેશ નથી આપ્યો.
  3. પોતાની વાત તથા કાર્ય દ્વારા અથવા કોઈ કયાંથી દૂર રહી કોઈને પણ નુકસાન પહોંચાડવું યોગ્ય છે ન તો તેની અનુમતિ આપવામાં આવી છે.
  4. બદલો બરાબર સરાબર લેવામાં આવશે એટલા માટે જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જો કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે.
  5. શરીઅતનો મૂળ કાયદો: શરીઅત નુકસાન પહોંચાડવાનો યોગ્ય નથી સમજતી, અને નુકસાન પહોંચાડવાનો ઇન્કાર કરે છે.