+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«سَوُّوا صُفُوفَكُمْ، فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 433]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 433]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ મુસલ્લીઓને આદેશ આપી રહ્યા છે કે તેઓ સફો સીધી કરે, કોઈ પણ વ્યક્તિ સફમાં ન તો આગળ જાય ન પાછળ, અને સફો સીધી કરવી એ નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે, અને સફો સીધી ન કરવી એ નમાઝમાં ખલલ અને ખામી છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. માનવીએ તે દરેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે નમાઝને પૂર્ણ કરે અને તેને દરેક પ્રકારની ખામીઓથી દૂર રાખે.
  2. આ હદીષમાં શિક્ષા રૂપે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની સંપૂર્ણ હિકમત અને શાળપણ જોવા મળે છે તેમણે આદેશની સાથે સાથે તેનું કારણ પણ વર્ણન કર્યું, જેથી શરીઅતની હિકમત સ્પસ્ટ થઈ જાય, અને માનવીના દિલમાં તેનું અનુસરણ કરવાનો ઉત્સાહ ઉત્પન થાય.
વધુ