عَنْ ‌حِطَّانَ بْنِ عَبْدِ اللهِ الرَّقَاشِيِّ قَالَ: صَلَّيْتُ مَعَ ‌أَبِي مُوسَى الْأَشْعَرِيِّ صَلَاةً، فَلَمَّا كَانَ عِنْدَ الْقَعْدَةِ قَالَ رَجُلٌ مِنَ الْقَوْمِ: أُقِرَّتِ الصَّلَاةُ بِالْبِرِّ وَالزَّكَاةِ، قَالَ: فَلَمَّا قَضَى أَبُو مُوسَى الصَّلَاةَ وَسَلَّمَ انْصَرَفَ فَقَالَ: أَيُّكُمُ الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا؟ قَالَ: فَأَرَمَّ الْقَوْمُ، ثُمَّ قَالَ: أَيُّكُمُ الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا؟ فَأَرَمَّ الْقَوْمُ، فَقَالَ: لَعَلَّكَ يَا حِطَّانُ قُلْتَهَا؟ قَالَ: مَا قُلْتُهَا، وَلَقَدْ رَهِبْتُ أَنْ تَبْكَعَنِي بِهَا، فَقَالَ رَجُلٌ مِنَ الْقَوْمِ: أَنَا قُلْتُهَا، وَلَمْ أُرِدْ بِهَا إِلَّا الْخَيْرَ، فَقَالَ أَبُو مُوسَى: أَمَا تَعْلَمُونَ كَيْفَ تَقُولُونَ فِي صَلَاتِكُمْ؟ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَطَبَنَا فَبَيَّنَ لَنَا سُنَّتَنَا وَعَلَّمَنَا صَلَاتَنَا، فَقَالَ:
«إِذَا صَلَّيْتُمْ فَأَقِيمُوا صُفُوفَكُمْ، ثُمَّ لِيَؤُمَّكُمْ أَحَدُكُمْ فَإِذَا كَبَّرَ فَكَبِّرُوا، وَإِذْ قَالَ: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} [الفاتحة: 7]، فَقُولُوا: آمِينَ، يُجِبْكُمُ اللهُ، فَإِذَا كَبَّرَ وَرَكَعَ فَكَبِّرُوا وَارْكَعُوا، فَإِنَّ الْإِمَامَ يَرْكَعُ قَبْلَكُمْ، وَيَرْفَعُ قَبْلَكُمْ»، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَتِلْكَ بِتِلْكَ، وَإِذَا قَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، فَقُولُوا: اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ، يَسْمَعِ اللهُ لَكُمْ، فَإِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالَى قَالَ عَلَى لِسَانِ نَبِيِّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، وَإِذَا كَبَّرَ وَسَجَدَ فَكَبِّرُوا وَاسْجُدُوا، فَإِنَّ الْإِمَامَ يَسْجُدُ قَبْلَكُمْ وَيَرْفَعُ قَبْلَكُمْ»، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَتِلْكَ بِتِلْكَ، وَإِذَا كَانَ عِنْدَ الْقَعْدَةِ فَلْيَكُنْ مِنْ أَوَّلِ قَوْلِ أَحَدِكُمُ: التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

હિત્તાન બિન અબ્દુલ્લાહ અર્ રકાશી રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ સાથે નમાઝ પઢી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા તો એક વ્યક્તિએ કહ્યું કે નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે પાછળ જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર પૂછ્યું કે તમારા માંથી આ વાત કોણે કહી? તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું: શું તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? આપ ﷺ એ ખુતબો આપ્યો, આપે સુન્નતને સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું:
«જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો, અને જ્યારે તે આ આયત પઢી લે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} તો તમે આમીન કહો, અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું, (રુકુઅમાં મુક્તદી તરફથી થતી વાર આ વસ્તુનું બદલ ગણાશે, જે વાર) માથું ઉઠવતી વખતે થાય છે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે, કારણકે આ વાક્યો પયગંબરની જબાને કહ્યા છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, ઇમામ પહેલા સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, અલ્લાહના રસૂલ ﷺએ કહ્યું તો આ વાર મુકતદીએ કરેલી વારનો બદલ હશે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારો સૌ પ્રથમ દુઆ હશે, التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

સહાબી અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ એ નમાઝ પઢાવી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા અર્થાત્ તશહ્હુદની બેઠકમાં તો એક વ્યક્તિએ પાછળથી કહ્યું કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે મુક્તદી સામે જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર તેમનો સવાલ રિપીટ કર્યો, તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તેમની નીડરતા, નિકટતા અને તેમની સાથેના સબંધના કારણે કહ્યું, આ વાત પર તેની પકડ કરવામાં નહીં આવે, માટે ખરેખર જેણે આ વાત કહી હોય તે તેનો સ્વીકાર કરી લે, તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું : શુ તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? ઠપકો આપવા માટે આ વાત કહી, નબી ﷺ એ ખુતબો આપ્યો,આપે શરીઅત સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું:
જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, અને સીધા ઉભા રહી જાઓ, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે તકબીરે તહરીમા અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તેના જેવી જ તકબીર કહેશો, અને સૂરે ફાતિહા પઢો અને જ્યારે તે આ આયત પહોંચે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} (સૂરે ફાતિહા : ૭), તો તમે આમીન કહો, જો તમે આ પ્રમાણે કરશો તો અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, તમારે એમના કરતા પહેલા ઉભા નથી થવાંનું; કારણ કે જે ક્ષણમાં ઈમામ રુકૂઅમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી રુકૂઅમાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે જ ક્ષણ છે અને તમારા રુકુઅની લંબાઈ સમાન થઈ જશે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે; કારણકે આ પયગંબરની જબાન વડે કહી છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, અને આ બન્ને તમારા પર ફરજીયાત છે, ઇમામ સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, કારણ કે જે ક્ષણમાં ઈમામે ઝુકાવમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી ઝૂકવામાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે ક્ષણ છે અને તમારા સિજદાની લંબાઈ સમાન થઈ જાય છે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારે સૌ પ્રથમ આ દુઆ પઢવાની રહેશે , التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، સામ્રાજ્ય, અસ્તિત્વ અને મહાનતા સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે.અને એવી જ રીતે પાંચેય નમાઝ પણ અલ્લાહ માટે જ છે, السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، અલ્લાહથી દરેક ખામી અને નુકસાનથી બચવાનો સવાલ કરવો જોઈએ, પછી અમે આપ ﷺ પર અને દરેક સદાચારી લોકો માટે સલામતીનો સવાલ કરીએ છીએ, જે અધિકાર અલ્લાહ અને તેના બંદાઓ પર છે, તેને પુરા પાડીએ છીએ, أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તશહ્હુદના એક પ્રકારનું વર્ણન.
  2. નમાઝના રુકન અને દુઆઓ જરૂરી છે કે તે નબી ﷺ દ્વારા સાબિત હોવી જોઈએ, જે નવી દુઆ અને પ્રક્રિયા સુન્નતથી સાબિત ન હોય, તેને નમાઝમાં પઢવી જાઈઝ નથી.
  3. ઇમામ પહેલા કોઈ કાર્ય કરવું અને વિલંબ કરવો જાઈઝ નથી, શરીઅત તો ઇમામ જે પ્રમાણે કરે તે પ્રમાણે કરવાનો આદેશ આપે છે.
  4. નબી ﷺ એ પોતાની કોમને શરીઅતના આદેશો શીખવાડવા અને લોકો સુધી પહોંચાડવા માટે અને પોતાની કોમને દીનનું જ્ઞાન આપવા બાબતેનું વર્ણન.
  5. ઇમામ અનુયાયી માટે ઉદાહરણ છે, તેથી તેના માટે નમાઝની ક્રિયાઓમાં તેનાથી આગળ આવવું, તેની તુલના કરવી અથવા તેના માટે મોડું કરવું માન્ય નથી, તેના બદલે, તે તેના અનુસરણની શરૂઆત જ્યારે તેને ખાતરી થઈ જાય કે તે જે કાર્ય કરવા માંગે છે તેમાં તેણે પ્રવેશ કર્યો છે પછી જ કરે અને આ પ્રમાણે અનુસરણ કરવું સુન્નત છે.
  6. નમાઝમાં સફ બરાબર કરવાનું મહત્વ.
વધુ