عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 110]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 110]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ તેમના પર કોઈ વાત અથવા કોઈ કાર્ય વડે જુઠાણું બાંધે, તો આખિરતમાં તેનું ઠેકાણું જહન્નમ છે; કારણકે આ તેના તે કાર્યનો બદલો હશે જે તેણે નબી ﷺ તરફથી જૂઠી વાત નકલ કરી.

હદીષથી મળતા ફાયદા

  1. જાણી જોઈને નબી ﷺ તરફથી જૂઠી વાતો કરવી તે જહન્નમમાં દાખલ થવાનું કારણ છે.
  2. નબી ﷺ તરફથી જુઠ બોલવું તે સામાન્ય લોકો માટે જૂઠું બોલવા જેવું નથી; કારણકે તેના દ્વારા દીન અને દુનિયામાં ઘણી બુરાઈઓ ફેલાય છે.
  3. નબી ﷺ દ્વારા વર્ણવેલ હદીષોને પુષ્ટિ કર્યા વગર, તેમજ તેની સચોટતા કર્યા વગર ફેલાવવા બાબતે સખત ચેતવણી.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (55)
વધુ