عن ابن عباس رضي الله عنهما قال:
جاءَ رجُلُ إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسولَ اللهِ، إن أحدنا يجدُ في نفسِهِ -يُعرِّضُ بالشَّيءِ- لأَن يكونَ حُمَمَةً أحَبُّ إليه من أن يتكلَّم بِهِ، فقال: «اللهُ أكبرُ، اللهُ أكبرُ، الحمدُ لله الذي ردَّ كيدَه إلى الوسوسَةِ».

[صحيح] - [رواه أبو داود والنسائي في الكبرى]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કર્યા કરતા અમારું રાખ બની જવું અથવા બળીને કોલ્સો બની જવું સારું રહેશે, આપ ﷺએ કહ્યું: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. એ વાત જાણવાની મળી કે શૈતાન મોમીનો માટે વસ્વસાના સ્વરૂપમાં છુપાયેલો રહે છે; જેથી તે એક મોમિનને ઈમાનથી કુફ્ર તરફ ફેરવી શકે.
  2. શૈતાન માટે ઇમાનવાળાઓની સાથે નબળાઈનું વર્ણન કારણકે તેને ફક્ત વસ્વસાનો એક રસ્તો આપવામાં આવ્યો છે.
  3. મોમિન માટે જરૂરી છે કે તે શૈતાનના દરેક વસ્વસાથી મોઢું ફેરવી લે અને તે તરફ ધ્યાન ન આપે.
  4. આશ્ચર્યજનક વાત પર અથવા કોઈ સારી વાત પર અલ્લાહની મહાનતાનું વર્ણન કરી શકાય છે, અથવા આ પ્રમાણેની કોઈ વસ્તુ હોય.
  5. એક મુસલમાનને કોઈ પણ આલિમને દરેક મુશ્કેલ સવાલ કરવાની છૂટ આપવામાં આવી છે.
વધુ