عن جرير بن عبد الله رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ لَا يَرْحَمِ النَّاسَ لَا يَرْحَمْهُ اللهُ عَزَّ وَجَلَّ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે લોકો પર રહેમ નથી કરતો તો અલ્લાહ પણ તેના પર રહેમ નહીં કરે, મખલૂક (સર્જન) પર રહેમ કરવું તે અલ્લાહની રહેમતનું સૌથી મોટું કારણ છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દરેક સર્જન માટે દયા જરૂરી છે, અહીંયા લોકોનું વર્ણન તેમના તરફ ખાસ ધ્યાન આપવા માટે કરવામાં આવ્યું છે.
  2. અલ્લાહ અત્યંત દયાળુ છે, અને પોતાના દયાળુ બંદા પર રહેમ કરે છે, આ હકીકતમાં બંદને તેના અમલ પ્રમાણે બદલો આપવાનું એક ઉદાહરણ છે, જે પ્રમાણે તેનો અમલ હોય.
  3. લોકો પર દયા કરવી અર્થાત્ તેમને ભલાઈ પહોંચાડવામાં આવે, તેમની પાસેથી દુષ્ટતા દૂર કરવી અને તેમની સાથે માયાળુ વર્તન કરવું શામેલ છે.
વધુ