ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «બે નેઅમતો એવી છે, જેમાં વધુ લોકો પોતાનું નુકસાન કરે છે, તંદુરસ્તી, અને નવરાશની પળો». [સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6412]
સમજુતી
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે માનવી પર અલ્લાહએ કરેલ નેઅમતો માંથી બે નેઅમતો એવી છે, જેમાં વધુ લોકો નુકસાન જ કરે છે, અને તેને એવી જગ્યાએ વેડફી નાખે છે, જે તેમના માટે યોગ્ય નથી, બસ જ્યારે માનવી માટે તંદુરસ્તી અને નવરાશ બંને નેઅમતો એકઠી થઈ જાય છે, તો તેમનામાં આળસ આવી જાય છે, અને તેનાથી તે અનુસરણ કરવાથી દૂર થઈ જાય છે, બસ તે નુકસાન ઉઠાવે છે; કારણકે આજ સ્થિતિ ઘણા લોકોની છે, અને જો તે પોતાની નવરાશની પળોને તંદુરસ્તી સાથે અલ્લાહના અનુસરણમાં લગાવે, તો તેના માટે ઘણા ફાયદા છે; કારણકે આ દુનિયા આખિરતની તૈયારી કરવા માટેનું એક ખેતર છે, અને જો કોઈ તેમાં ખેતી કરશે તો તેનો ફાયદો તેને આખિરતમાં થશે, અને નવરાશ પછી વ્યસ્તતા આવે છે અને તંદુરસ્તી પછી બીમારી આવે છે, અને આ બંને ન હોય તો વૃદ્ધાવસ્થા યાદપત્ર માટે પૂરતી છે.
હદીષથી મળતા ફાયદા
જવાબદાર માનવીનું ઉદાહરણ એક વેપારી દ્વારા આપ્યું છે, અને તંદુરસ્તી અને નવરાશ તેની મૂળ મૂડી છે; બસ જે પોતાની મૂળ મૂડીનો યોગ્ય ઉપયોગ કરી લે, તો તે તેના માટે ફાયદાકારક છે, અને જે તેને યોગ્ય જગ્યાએ નહીં લગાવે તો તે તેને નષ્ટ કરી દેશે અને અંતમાં પસ્તાસે.
ઈમામ ઈબ્ને ખાઝિન રહિમહુલ્લાહએ કહ્યું: નેઅમત તે છે, જેના દ્વારા માનવી ફાયદો ઉઠાવે છે અને આનંદ માળે છે, અને ધોખો તે છે, જે કોઈ વસ્તુને તેની બમળી કિમતે ખરીદે અને તેને તેની યોગ્ય કિંમત વગર વેચે છે; બસ જે તંદુરસ્ત હોય અને તેં કઠિન કામોથી આઝાદ હોય અને તે પોતાની આ નેઅમતનો ઉપયોગ આખિરતની તૈયારી કરવામાં ન લગાવે, તો તે તે જ છે જેને વેચાણમાં ધોખો આપવામાં આવ્યો.
અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે તંદુરસ્તી અને નવરાશને ઉપયોગમાં લાવવા પર પ્રોત્સાહન, અને તેના ખતમ થઈ જવા પહેલા સત્કાર્યો કરવા પર ઉભાર્યા છે.
અલ્લાહએ આપેલ નેઅમતો પર તેનો આભાર વ્યક્ત કરવાનો એક તરીકો એ છે કે તેને અલ્લાહના અનુસરણમાં ઉપયોગમાં લેવામાં આવે.
ઈમામ કાઝી અને અબૂ બકર ઇબ્ને અલ્ અરબીએ કહ્યું: બંદાને અલ્લાહએ આપેલ પહેલી નેઅમત વિષે કેટલાક લોકોએ મતભેદ કર્યો, કહેવામાં આવ્યું: ઈમાન, કહેવામાં આવ્યું: જીવન, કહેવામાં આવ્યું: તંદુરસ્તી, ઈમાન એ સૌથી શ્રેષ્ઠ નેઅમત છે, કારણકે તે સામાન્ય અને ઉપયોગી નેઅમત છે, અને જીવન અને તંદુરસ્તી તે તો દુનીયાની નેઅમતો છે, જ્યાં સુધી તે બંને નેઅમતો સાથે ઈમાન ન હોય તે કોઈ ઉપયોગી નેઅમતો નથી, તે સમયે કેટલાક લોકો ધોખો ખાઈ જશે, અર્થાત્ તેનો ફાયદો નષ્ટ થઈ જશે અથવા ઓછો થઈ જશે, બસ જે વ્યક્તિએ સતત પોતાને ગુનાહમાં વ્યસ્ત રાહ્યો અને અલ્લાહએ નક્કી કરેલ હદો વટાવી દીધી, અને અલ્લાહનું અનુસરણ ન કર્યું, તે ધોખામાં છે, એવી જ રીતે જે નવરો હોય તે પણ, પરંતુ જો તે વ્યસ્ત હોય તેની પાસે યોગ્ય કારણ છે, નવરાશ વિરુદ્ધ, બસ જ્યારે તે નવરો થઈ જાય, તો તે તેના પર પણ લાગું પડે છે.