عن أبي موسى الأشعري رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِذَا مَرِضَ الْعَبْدُ أَوْ سَافَرَ كُتِبَ لَهُ مِثْلُ مَا كَانَ يَعْمَلُ مُقِيمًا صَحِيحًا».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ અલ્લાહની કૃપા અને તેની રહેમત વિશે જણાવ્યું છે, કે જ્યારે કોઇ મુસલમાન તંદુરસ્તીમાં અથવા ઘરે રહીને નિયમિત રૂપે સત્કાર્યો કરતો હતો, તો બીમારી અથવા બીજા કોઇ કારણે જો તે નેક કાર્ય ન કરી શકે અથવા સફરમાં નીકળવાના કારણે તે કાર્ય છોડી દે તો તેના માટે એટલો જ સવાબ લખવામાં આવે છે, જેટલો તેને તંદુરસ્તીની સ્થિતિમાં અથવા ઘરમાં રહીને તે નેક કાર્ય કરવા પર મળતો હતો.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ પોતાના બંદાઓ પર ઘણો કૃપાળું છે.
  2. આ હદીષમાં નેકીના કાર્યો વધુમાં વધુ કરવા પર પ્રોત્સાહન અને નવરાશની પણોની મહત્વતા જાણવા મળે છે.