+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَتَتَّبِعُنَّ سَنَنَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ، شِبْرًا بِشِبْرٍ، وَذِرَاعًا بِذِرَاعٍ، حَتَّى لَوْ دَخَلُوا فِي جُحْرِ ضَبٍّ لَاتَّبَعْتُمُوهُمْ» قُلْنَا: يَا رَسُولَ اللهِ آلْيَهُودَ وَالنَّصَارَى؟ قَالَ: «فَمَنْ؟».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2669]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તમે તમારા પહેલાના લોકોના માર્ગનું પર એવી જ રીતે ચાલશો, જેવી રીતે એક તૈયાર કરેલું તીર બીજા તીરની પાછળ હોય છે, અહીં સુધી કે જો તે ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તમે પણ તેમાં દાખલ થશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ વિષે વાત કરી રહ્યા છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય એ કહ્યું: «તો બીજું કોણ?».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [Al-Bukhari and Muslim with its two versions] - [સહીહ મુસ્લિમ - 2669]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે તેમના સમય પછી એક એવો સમય આવશે કે તેમની કોમની સ્થિતિ એવી હશે કે પોતાના અકીદા, માન્યતાઓ, કાર્યો અને પ્રથાઓને છોડી સંપૂર્ણ રીતે એક તૈયાર કરેલું તીર જે રીતે બીજા તીરની પાછળ હોય છે, એવી જ રીતે તેઓ પણ યહૂદીઓ અને નસારાઓનું અનુસરણ કરશે, અહીં સુધી કે જો તેઓ ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તેઓ પણ તેમની પાછળ તેમાં દાખલ થશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ જ્ઞાન નબૂવ્વતના જ્ઞાન માંથી છે (જેને ભવિષ્યવાળી કહેવામાં આવે છે) અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેના થતા પહેલા ખબર આપી અને તે એ જ પ્રમાણે થઈ જે પ્રમાણે આપે જણાવ્યું હતું.
  2. આ હદીષમાં મુસલમાનોને કાફિરોના અકીદા, ઈબાદત, અને તેહવારો તથા તેમના ખાસ તરીકાને અપનાવવા અને તેમનું અનુસરણ કરવાથી રોક્યા છે.
  3. પ્રાકૃતિક વસ્તુઓનું વાસ્તવિક વસ્તુઓ દ્વારા ઉદાહરણ આપવું તે ઇસ્લામની શિક્ષાઓ આપવાના તરીક માંથી છે.
  4. ગરોળી: એક એવું જાનવર જેની ગુફામાં અત્યંત અંધારું હોય છે, અને તે ઘસડાઈને ચાલે છે, જે રણમાં ખૂબ જ જોવા મળે છે, આ હદીષમાં ગરોળીની ગુફાનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું કે તે અત્યંત સાંકળી હોય છે, જો તેઓ તે ગુફામાં દાખલ થશે તો મુસલમાનો પણ તેમના તરીકાનું અનુસરણ કરી તેમાં દાખલ થશે! અલ્લાહ જ મદદ કરનાર છે.