عن حُذَيْفَةَ رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ بَيْنَ السَّجْدَتَيْنِ: «رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي».

[صحيح] - [رواه أبو داود والنسائي وابن ماجه وأحمد] - [سنن ابن ماجه: 897]
المزيــد ...

હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ ઈબ્ને માજા - 897]

સમજુતી

નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે બેઠકમાં આ દુઆ પઢતા હતા: اغفر لي رب اغفر لي، અને તેને વારંવાર પઢતા હતા.
હે મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે: અર્થાત્ બંદો અલ્લાહ પાસે પોતાના ગુનાહની માફી અને તેની ખામીઓ પર પડદો તલબ કરી રહ્યો છે.

હદીષથી મળતા ફાયદા

  1. ફર્ઝ અને નફીલ નમાઝમાં બંને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.
  2. વારંવાર આ દુઆ પઢવી મુસ્તહબ છે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે. અને એકવાર તો પઢવી વાજિબ છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (58)
વધુ