عن معاوية رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم يقول:
«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ، وَإِنَّمَا أَنَا قَاسِمٌ، وَاللهُ يُعْطِي، وَلَنْ تَزَالَ هَذِهِ الْأُمَّةُ قَائِمَةً عَلَى أَمْرِ اللهِ، لَا يَضُرُّهُمْ مَنْ خَالَفَهُمْ، حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે, અને હું તો ફક્ત વિભાજીત કરનાર છું, આપવાવાળો તો અલ્લાહ જ છે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા જેના માટે ભલાઈનો ઈરાદો કરે છે તો તેને દીનનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપે છે, અને આપ ﷺ તો ફક્ત વિભાજીત કરવાવાળા છે, રોજી તેમજ ઇલ્મ અને આ પ્રમાણેની અન્ય વસ્તુઓમાં, ખરેખર આપવાવાળી ઝાત તો અલ્લાહની જ છે, એના વગરના જેટલા સ્ત્રોત છે, તે અલ્લાહના હુકમ વગર કોઈ ફાયદો નહીં પહોંચાડી શકે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય.