+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهَرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ فِيهِ كُلَّ يَوْمٍ خَمْسًا، مَا تَقُولُ ذَلِكَ يُبْقِي مِنْ دَرَنِهِ؟» قَالُوا: لَا يُبْقِي مِنْ دَرَنِهِ شَيْئًا، قَالَ: «فَذَلِكَ مِثْلُ الصَّلَوَاتِ الخَمْسِ، يَمْحُو اللَّهُ بِهِ الخَطَايَا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 528]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા:
«તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 528]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ દરરોજ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢનાર વ્યક્તિના ગુનાહોને ખતમ કરવા માટે અને તેનો કફ્ફારાનું ઉદાહરણ એવી રીતે આપ્યું કે એક વ્યક્તિ જેના દરવાજા પાસે નહેર હોય, અને તે દરરોજ પાંચ વખત તેમાં સ્નાન કરતો હોય, તો તેના શરીર પર કોઈ પણ પ્રકારનો મેલ બાકી નહીં રહે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહની ખાસ કૃપા કે સગીરહ (નાના) ગુનાહનો માફ કરીને, કબીરહ ગુનાહની માફી માટે તૌબા કરવી જરૂરી છે.
  2. પાંચ વખતની નમાઝ પઢવાની મહત્ત્વતા અને તેની શરતો અને અરકાન અને વાજિબ કાર્યો અને સુન્નત કાર્યોની સુરક્ષા કરતા.
વધુ