عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી) થઈ હોય, જ્યાં સુધી તે વઝૂ ન કરી લે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સચોટ અને સ્વીકાર્ય નમાઝની શરતો માંથી એક પાકી પણ છે: નમાઝ પઢનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે વઝૂ કરીને નમાઝ પઢે જો તેનું વઝૂ ન હોય અથવા વઝૂ તૂટી ગયું હોય; પેશાબ, પાખાના અથવા ઊંઘ વગેરેના કારણે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નાપાક વ્યક્તિની નમાઝ કબૂલ થતી નથી જ્યાં સુધી તે નાની ગંદકી માટે વઝૂ અને મોટી ગંદકી માટે ગુસલ ન કરી લે.
  2. વુઝુ: પાણી લઈ મોમાં કોગળા કરવા, પછી પાણી નાકમાં ચઢાવી નાક સાફ કરવું, ત્રણ વખત ચહેરો ધોવો, પછી કોળી સુધી ત્રણ વખત હાથ ધોવા, પછી એકવાર માથાના ભાગનો મસો કરવો, અને પછી ઘૂંટી સુધી ત્રણ વખત પગ ધોવા.