عن أبي مَرْثَدٍ الغَنَوِيّ رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لَا تَجْلِسُوا عَلَى الْقُبُورِ، وَلَا تُصَلُّوا إِلَيْهَا».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ કબરો પર બેસવાથી રોક્યા છે.
એવી જ રીતે તેની તરફ મોઢું કરીને નમાઝ પઢવાથી પણ રોક્યા છે, એ કે કબર નમાઝીની કિબલા તરફ હોય; કારણકે આ શિર્કના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કબરો તરફ મોઢું કરી અથવા તેની વચ્ચે નમાઝ પઢવાથી નબી ﷺ એ રોક્યા છે, જનાઝાની નમાઝ સિવાય, અર્થાત્ જનાઝાની નમાઝ પઢી શકાય છે; કારણકે તે સુન્નતથી સાબિત છે.
  2. કબરો તરફ મોઢું કરી નમાઝ પઢવાથી રોક્યા છે; કારણકે તે શિર્કના સ્ત્રોત માંથી છે.
  3. ઇસ્લામે કબરો વિશે ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી અને તેમના અનાદર કરવા પર રોક લગાવી છે, તેથી તેમનું અતિરેક અને બેદરકારી કરવામાં ન આવે.
  4. મુસલમાનનું સન્માન તેના મૃત્યુ પછી પણ બાકી રહે છે, આ વાત નબી ﷺ ની એક હદીષથી સાબિત થાય છે: (મૃતક વ્યક્તિ નું હાડકું તોડવું જીવિત વ્યક્તિનું હાડકું તોડવા બરાબર છે).
વધુ