+ -

عَن سَهْلِ بْنِ حُنَيْفٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ سَأَلَ اللهَ الشَّهَادَةَ بِصِدْقٍ بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ، وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1909]
المزيــد ...

સહલ બિન હુનેફ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1909]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ પાસે શહાદત માંગે, અને અલ્લાહના માર્ગમાં શહીદ થવાની ઈચ્છા ધરાવતો હોય અને તે પોતાની નિયતમાં સાચો હોય તો અલ્લાહ તેની સાચી નિયતના કારણે તેને શહીદનો દરજ્જો આપે છે, ભલેને તે જિહાદ (યુદ્ધ) કર્યા વગર પથારીમાં જ મૃત્યુ પામ્યો હોય.

હદીષથી મળતા ફાયદા

  1. નિયતની સત્યતા સવાબની પ્રાપ્તિ માટેનું કારણ છે, જે વ્યક્તિ નેક કામનો ઈરાદો કરે અને તે કામ કોઈ કારણસર ન કરી શકે તો તેની સાચી નિયતના કારણે તેને સવાબ મળી જાય છે, ભલેને તેણે તે કામ ન કર્યું હોય.
  2. અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવા અને શહાદત માંગવા બાબતે પ્રોત્સાહન.
  3. અલ્લાહ તઆલાની આ કોમ પર ભવ્ય કૃપા, કે તે નજીવા અમલ પર પણ જન્નતમાં ઊચો દરજ્જો આપે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ