+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَيْسَ الْمُؤْمِنُ بِالطَّعَّانِ وَلاَ اللَّعَّانِ وَلاَ الفَاحِشِ وَلاَ البَذِيءِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 1977]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 1977]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સંપૂર્ણ ઇમાન ધરાવનાર મોમિનની આ શાન નથી કે તે લોકોના નસબને લઈ તેમનું અપમાન કરે, ખૂબ લઅનત અને મહેણાં ટોણાં મારે, અને પોતાના કાર્યો તેમજ જબાન વડે અભદ્ર શબ્દો કહે, જેમાં સહેજ પણ હયા ન હોય.

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅત (કુરઆન હદીષ) પ્રમાણે ઇમાનનો ઇન્કાર ફક્ત હરામ કાર્ય કરવા અથવા વાજિબ કાર્યો છોડવા પર જ થઈ શકે છે.
  2. અંગોને સુરક્ષિત રાખવા અને તેમને બુરાઈથી બચવા માટે ઉભારવા, ખાસ કરીને જબાન.
  3. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જે શબ્દોનું વર્ણન થયું છે, (અત્ તઆન, અલ્ લિઆન) જે શબ્દો મુબાલગા (અરબી વ્યાકરણ) ના છે, એ વાતની પુષ્ટિ કરે છે કે કેટલાક લઅનતને પાત્ર વ્યક્તિ પર લઅનત કરવાથી મોમિન અને તેના ઇમાનને કોઈ નુકસાન નથી પહોંચતું.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન સિન્હાલા ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الصربية الرومانية المجرية الموري Malagasy الجورجية
ભાષાતર જુઓ
વધુ