عَنْ ‌أَبِي هُرَيْرَةَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«سَيَكُونُ فِي آخِرِ أُمَّتِي أُنَاسٌ يُحَدِّثُونَكُمْ مَا لَمْ تَسْمَعُوا أَنْتُمْ وَلَا آبَاؤُكُمْ، فَإِيَّاكُمْ وَإِيَّاهُمْ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અંતિમ સમયમાં મારી કોમમાં કેટલાક એવા લોકો હશે, જે તમારી સમક્ષ એવી હદીષો વર્ણન કરશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અને ન તો તમારા પૂર્વજોએ સાંભળી હશે, તમે આવા લોકોથી બચીને રહેજો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ જણાવી રહ્યા છે કે અંતિમ સમયમાં મારી કોમ માંથી જ એવા લોકો ઉભા થશે, જેઓ મારા વિશે જુઠાણું બાંધશે, અને એવી વાતો કહેશે જે વાતો આજ પહેલા કોઈએ નહીં કહી હોય, વિવિધ પ્રકારની જૂઠી હદીષો વર્ણન કરશે, નબી ﷺ એ આવા લોકોથી અળગા રહેવા અને તેમની સાથે બેસવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો, અને તેમણે વર્ણન કરેલ હદીષો સાંભળવામાં ન આવે, ક્યાંક એવું ન થાય કે મનમાં કોઈ ખોટી વાત બેસી જાય, કારણકે આપણે તેનાથી આજીઝ છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં નુબૂવ્વતની નિશાનીઓનું જ્ઞાન છે, જેવું કે નબી ﷺ એ જણાવ્યું કે તેમની કોમ સાથે આગળ શું થશે, અને જે પ્રમાણે ખબર આપી હતી તે થયું.
  2. તે દરેક વ્યક્તિથી દુર રહેવું જોઈએ જે નબી ﷺ ના નામ પર અથવા ઇસ્લામ દીનનું નામ લઈ જૂઠી વાતો ફેલાવતો હોય, અને તેની જૂઠી વાતો પણ સાંભળવામાં ન આવે.
  3. હદીસોની સત્યતા અને પ્રમાણિકતાની ખાતરી કર્યા સિવાય તેને સ્વીકારવા અથવા પ્રકાશિત કરવા પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે.
વધુ