+ -

عن أَبِي مُوسَى الأَشْعَرِيِّ رضي الله عنه: أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«مَنْ صَلَّى ‌الْبَرْدَيْنِ دَخَلَ الْجَنَّةَ»

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 574]
المزيــد ...

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 574]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોને બે ઠંડા સમયની બે નમાઝો પઢવા પર ઉભારી રહ્યા છે, અને તે બે નમાઝો એટલે કે ફજર અને અસરની નમાઝ છે, અને તે વ્યક્તિ માટે ખુશખબર, જે તે બંને નમાઝોને તેના સમયે, તેના હક અને જમાઅત સાથે પઢતા લઈને આવશે, તે બન્ને નમાઝો જન્નતમાં પ્રવેશ મેળવવાનું કારણ બનશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં ફજર અને અસરની નમઝની મહત્ત્વતા વર્ણન કરી છે, કારણકે ફજરના સમયે (ઠંડક) ને લઈ ઊંઘ ઝબરદસ્ત આવતી હોય છે, અને અસરની નમાઝ માનવીનું પોતાના કામમાં વ્યસ્ત હોવું, જે વ્યક્તિ આ બન્ને નમાઝોની હિફાજત કરતો હશે, તે વ્યક્તિ ખરેખર અન્ય ત્રણ નમઝની પણ પાબંદી જરૂર કરતો હશે.
  2. ફજર અને અસર બન્ને નમાઝોને ઠંડા સમયની નમાઝો એટલા માટે કહેવામાં આવી કારણકે ફજરની નમાઝ તે રાતની ઠંડકનો સમય છે અને અસરની નમાઝ દિવસની ઠંડકનો સમય છે અને જો ગરમીના દિવસો હોય તો અસરનો સમય એના કરતાં પહેલાંના સમયથી ઠંડો જ હોય છે, અથવા તો પ્રોત્સાહન આપવા માટે કહી દેવામાં આવ્યું હોય, જેવી રીતે કે "અલ્ કમરાન" શબ્દ સૂર્ય અને ચંદ્ર બન્ને માટે કહેવામાં આવ્યો.
વધુ