عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ»
[صحيح] - [متفق عليه]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે રમઝાનના રોઝા જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન ધરાવી તેમજ રોઝાને ફર્ઝ સમજી, તથા રોજેદારોને મળવા વાળા સવાબની પુષ્ટિ કરી, ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે અને રિયાકારી અને લોકોને દેખાડાથી બચીને રોજા રાખે તો તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેવામાં આવે છે.