عَنْ حُذَيْفَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَقُولُوا: مَا شَاءَ اللهُ وَشَاءَ فُلَانٌ، وَلَكِنْ قُولُوا: مَا شَاءَ اللهُ ثُمَّ شَاءَ فُلَانٌ».

[صحيح بمجموع طرقه] - [رواه أبو داود والنسائي في الكبرى وأحمد] - [السنن الكبرى للنسائي: 10755]
المزيــد ...

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે, નબી ﷺ એ કહ્યુ:
«તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે».

[સહીહ બિમજમૂઇ તુરુકહુ] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 10755]

સમજુતી

નબી ﷺ એ એક મુસલમાનોને આ પ્રમાણેના શબ્દ કહેવાથી રોક્યા છે: "જે અલ્લાહ ઈચ્છે અને જે ફલાણો ઈચ્છે", અથવા જે અલ્લાહ એ ઈચ્છા કરી અને જે ફલાણા એ ઈચ્છા કરી; કારણકે ઈચ્છા અને ઇરાદો ફક્ત અલ્લાહનો જ હોય છે જેમાં તેનું કોઈ ભાગીદાર નથી, આ શબ્દમાં "વાવ (અને)" શબ્દનો ઉપયોગ એ જણાવે છે કે તે વ્યક્તિ અલ્લાહ સાથે ભાગીદાર છે, પરંતુ આમ કહેવું: જે અલ્લાહએ ઈચ્છા કરી, ફરી જેણે ઈચ્છા કરી, તો બંદાની ઈચ્છા પણ અલ્લાહની ઈચ્છા પ્રમાણે થઈ જશે, પોતાના શબ્દો માં "વાવ (અને) શબ્દનો ઉપયોગ કરવાના બદલામાં "ફરી" શબ્દનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ કાર્યનું બીજા કાર્ય પછી થવા પર આધારીત છે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં "મા શા અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)" જેવા શબ્દોનો ઉપયોગ કરવો હરામ ઠેહરાવવામાં આવ્યું છે, જેમાં "વાવ (અને)" શબ્દ વડે અલ્લાહ સાથે ભાગીદાર ઠેહરાવવામાં આવે; કારણકે તે શબ્દો અને કાર્યો વડે થતું શિર્ક છે.
  2. અને "મા શા અલ્લાહ ષુમ્મ શિઅત (જે અલ્લાહ ઈચ્છે પછી તમે ઈચ્છો)" જેવા શબ્દો કહી શકાય છે, અને "ષુમ્મ (ફરી)" જેવા શબ્દ વડે અન્યને અલ્લાહ સાથે જોડવામાં આવે; કારણકે આવા શબ્દો કહવામાં કોઈ વાંધો નથી.
  3. અલ્લાહની ઈચ્છા અને બંદાની ઈચ્છા સાબિત કરવામાં આવી છે, અને બંદાની ઈચ્છા અલ્લાહની ઈચ્છા પ્રમાણે છે.
  4. અલ્લાહની ઈચ્છામાં અન્યને ભાગીદાર ઠેહરાવવું જાઈઝ નથી, ભલે તે એક શબ્દ વડે પણ કેમ ન હોય.
  5. જો આવા શબ્દોનો ઉપયોગ કરનાર વ્યક્તિ એવી માન્યતા રાખતો હોય કે બંદાની ઈચ્છા સંપૂર્ણ રીતે અલ્લાહની ઈચ્છા બરાબર છે, અથવા બંદાની ઈચ્છા એક અલગ ઈચ્છા છે તો તે શિર્કે અકબર (મોટું શિર્ક) ગણાશે, અને જો એવી માન્યતા ધરાવે કે અલ્લાહની ઈચ્છા પછી બંદાની ઈચ્છા છે તો તે શિર્કે અસગર (નાનું શિર્ક) ગણાશે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (55)
વધુ